Saturday, February 29, 2020

ગ્રેગર જોન મેન્ડલ

સમય:- 1831 આસપાસ, સ્થળ:- મોરાવિયા(ચેકોસ્લાવેકિયા)

ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલ 8 થી 9 વર્ષની વયનો એક અતિ જીજ્ઞાસુ છોકરો પોતાના પિતા સાથે ખેતરમાં કામ કરતાં-કરતાં થોડા સવાલો પોતાના ગરીબ પિતાને પુછે છે(જીવન સાધન સુવિધાહીન છતાં જીજ્ઞાસા જુઓ).......“પિતાજી, અમુક છોડ ઉંચા તેમજ અમુક છોડ નીચા કેમ? અમુક વટાણા લીસ્સા તેમજ અમુક વટાણા ખરબચડા કેમ? અમુક ફુલોનો રંગ લાલ તેમજ અમુક ફુલોનો રંગ ગુલાબી કેમ?” તેના અભણ પિતા પાસે તેના સવાલોના જવાબો નહતાં.


યુવાન થઇ તે છોકરો ચર્ચમાં પાદરી બની ગયો છતાંય મનમાં પ્રશ્નો એના એજ રહ્યાં. તેની જીજ્ઞાસા જોઇ ચર્ચે આગળ ભણવા માટે યુવાનને યુનિવર્સિટીમાં મોકલી આપ્યો. સાત આઠ વરસ સુધી છોડવાઓ ઉપર પરિશ્રમપૂર્વક પ્રયોગો કરી તેણે પોતાના પ્રશ્નોના ઉત્તર શોધી લીધાં. વેલ, એ યુવાનનું નામ હતું “ગ્રેગર જોન મેન્ડલ”. તેમણે આનુવંશિકતાનો નિયમ શોધી નાંખ્યો. બાદમાં તેઓ “ફાધર ઓફ જેનેટિક્સ” તરીકે ઓળખાયા.

No comments:

Post a Comment