Saturday, February 29, 2020

માસિક ચક્ર(એક નેચરલ સિલેક્સન)


પીરિયડ્સની જરૂર જ શા માટે છે? શું પ્રકૃતિ પાસે માસિક ધર્મ સિવાય હર મહિને આ ચક્ર ચલાવવા માટેનો બીજો કોઇ ઉપાય નહતો? શું યોનિમાર્ગ દ્વારા આ રક્તપાત જરૂરી છે? શું સામાન્ય બદલાવ સાથે માતૃત્વના હસ્તાક્ષર....પ્રકૃતિ સ્ત્રીદેહ ઉપર નહોતી કરી શકતી?
-
વેલ, જવાબ ખૂબજ રોચક છે..... સૌપ્રથમ માસિકચક્રની ટૂંકમાં સમજ.....હર માસિકચક્રના 14માં દિવસે એક અંડાણુ અંડાશયથી નિકળી અંડવાહિની દ્વારા ગર્ભાશય તરફ જાય છે. હવે હરવખતે તેનો શુક્રાણુ જોડે મેળ તો થશે નહીં માટે 28માં દિવસે તેને રક્ત-માંસ સાથે યોનિમાર્ગ દ્વારા નિ:સૃત કરી દેવામા આવે છે....માસિક ધર્મ અગર ખૂબજ મૌલિક હોત તો હર જીવમાં એ હોવું જોઇતું હોત પણ એવું નથી. દેડકા, મગરમચ્છ, ગાય, સિંહ, બિલાડી, સુવર તેમજ પક્ષીઓમાં(એક-બે પ્રજાતિને બાદ કરતાં) પણ માસિક સ્ત્રાવની અનુપસ્થિતિ છે. ફક્ત મનુષ્ય, કેટલીક વાનર પ્રજાતિ અને ચામાચીડિયામાં જ કુદરતે આ ક્રિયાને સામેલ કરી છે.
-
ભલે આપણે સંસ્કારોને કારણે માતા અને શિશુને પરમ પ્રેમના પ્રતિક ગણીએ, પરંતુ પ્રકૃતિના જૈવિક ઇશારા કંઇક અલગ જ નિર્દેશ કરે છે. ‘માં’ એક જીવ છે, જેની પાસે પોષક તત્વોનો ભંડાર છે. ભ્રૂણ જે હજી નિર્માણ જ થયો છે એણે જીવિત રહેવાનું છે. કેવી રીતે જીવશે?>>જ્યારે ખોરાક મળશે---- ખોરાક કોણ આપશે?>>એજ આપશે જેના ગર્ભમાં એ ઉછરી રહ્યો છે----કેટલો ખોરાક જોઇશે?>>જેટલો વધુમાં વધુ મળી શકે----(હવે શરૂ થાય છે રીયલ થ્રીલર) ખોરાક માટે ભ્રૂણ ગર્ભાશયની મોટી માંસલ દિવાલોમાં ધસે છે, લોહીની નસો સુધી પહોંચે છે, અધિક થી અધિક પોષક તત્વોને શોષે છે અને વિકસિત થાય છે.
-
પરંતુ પોષિકા એટલેકે ‘માં’ એવું કેમ થવા દે? ભ્રૂણની આ હરકતથી એણે પોતાનું રક્ષણ કરવાનું છે. ભ્રૂણ તો આવતા જ રહેશે માટે કેવળ આ એક ભ્રૂણને જ સર્વસ્વ કેમ આપી દેવું? કઇ રીતે આ સ્વાર્થ સામે ઝૂકી જવું??? એટલા માટે હર મહિને એ જગ્યા જ્યાંથી ભ્રૂણ આવવાની સંભાવના છે, એની દિવાલોને જ ક્ષત-વિક્ષત કરી દો. વહેડાવી દો એ તૂટેલી દિવાલોના લોહી-માંસને યોનિ માર્ગે. પરજીવી ભ્રૂણ ઉછરી જ ન શકે એક મહિના સુધી. આવતા મહિને પાછુ જોયું જાશે, લડાઇ જીતી લીધી પરંતુ યુદ્ધ જારી રહેશે.
-
માં-ભ્રૂણ વચ્ચેની આ રસાકસી કુદરતે અકારણ નથી બનાવી. વિજ્ઞાન જણાવે છે કે માસિક ધર્મ દરમિયાન થતાં રક્તસ્ત્રાવ દ્વારા સ્ત્રી એ ભ્રૂણોને બહાર ફેંકી દે છે, જે ગર્ભાશયની આંતરિક દિવાલ ઉપર યોગ્ય રીતે ચોંટીને ધસી નથી શકતાં. આ એક પ્રયોગ છે એ જાણવાનો કે, સૌથી પરિપુષ્ટ અને યોગ્ય ભ્રૂણોને જ માં પોતાના ગર્ભમાં સ્થાન આપશે વિકસિત થવા માટે. પસંદગી પ્રક્રિયા ઘણી કઠિન છે માટે સૌથી સબળ ભ્રૂણ જ ગર્ભમાં ઉછરીને શિશુરૂપે બહાર નવો જન્મ લઇ શકે. માટે કહેવું પડે કે આ માસિકધર્મ એ “માં” દ્વારા લેવાયેલ ભ્રૂણોની એક પરિક્ષા છે. માસિક ધર્મવાળી પ્રજાતિઓ સંતાનોના સિલેક્શનમાં સૌથી વધુ ધ્યાન રાખે છે. 


(સ્કંદ દ્વારા)

No comments:

Post a Comment