Saturday, February 29, 2020

શિક્ષા

આ દેશની શિક્ષા પધ્ધતિ જે કેવલ અંકો પર તેમજ ટકાવારી પર આધારિત છે...બાળકો તેમજ યુવાઓને ફક્ત એક જ દિશામાં વિચારવા માટે મજબૂર કરે છે કે કેવી રીતે યેનકેન પ્રકારે આ આંધળી દોડમાં ઉચ્ચતમ ટકાવારી પ્રાપ્ત કરી શકાય અને આ દોડમાં માતા-પિતાઓ પણ એમની સાથે દોડવા લાગે છે. ખરેખર તો આપણી શિક્ષણ પધ્ધતિને ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવી છે કે એ કેવલ આંધળી દોડમાં દોડવાવાળા ‘નવયુવાન ભારત’ને પેદા કરે, નહિં કે સમજવાવાળા- વિચારવાવાળા, હરએક ક્રિયા ઉપર પ્રતિક્રિયા આપવાવાળા ‘નવયુવાન ભારત’ને... આધુનિક શિક્ષા બાળકની evaluation અને grading એવી રીતે કરે છે...જેવી રીતે સફરજનનાં બાગમાં ખરીદદાર સફરજનની કરે.
-
એક કટાક્ષ કથા......જંગલમાં હરએક પશુને એકત્રિત કરી બધાની પરિક્ષા લેવામાં આવે છે(ઝાડ ઉપર ચઢવા માટેની) તેમજ ક્ષમતા જોઇને ranking આંકવામા આવે છે. પરંતુ શિક્ષણ પધ્ધતિ એ ભૂલે છે કે આ પરિક્ષામાં તો બિચારો હાથીનો છોકરો ફેઇલ થશે અને વાંદરાનો છોકરો first આવશે. હવે આખા જંગલમાં એ વાત ફેલાઇ ગઇ કે જે ઝટ દઇને ઝાડ ઉપર ચઢી જશે એ સફળ બાકી બધાય ના જીવન વ્યર્થ. તો જે જાનવરોના છોકરા ઝટપટ ઝાડ ઉપર નથી ચઢી શકતા તેમને માટે કોચિંગ institute ખુલી ગયા. હવે ચાલી નિકળ્યાં હાથી, જીરાફ, ભેંસ, હિપ્પો, ઉંટ વગેરે પોતાના બાળકો સાથે institute તરફ....અમારો છોકરો પણ ભણશે, અમારૂ નામ રોશન કરશે....પરંતુ કંઇ રીતે? કંઇ જ ખબર નથી......આપના બાળકને જાણો એ શું છે.....હાથી છે કે જીબ્રા છે કે ચિત્તો છે કે પછી બની શકે કે કીડી હોય; અને જો કીડી હોયતો નિરાશ ના થાવ....કારણકે કીડી ધરતીનું સૌથી પરિશ્રમી જીવ છે તેમજ પોતાના વજનની તુલનાએ હજારગણું વજન ઉપાડી શકે છે. માટે કીડી સમજી એને ધિક્કારશો નહીં.
-
“બાળકોને ભણવા લાયક ચીજ એજ છે જે એમને રમત જેવો આનંદ આપે તથા વિદ્યા સાઇડ ઇફેક્ટ રૂપે ચુપ-ચાપ આપી દે. એમની ઉપર વિદ્યા થોપવાથી તો બુધ્ધિ કુંઠિત થઇ જશે તેમજ માનસિક વિકાસ પણ અસંતુલિત થઇ જશે. સ્કુલો એવી હોવી જોઇએ જ્યાં બાળકો ખુશી-ખુશી દોડતાં-દોડતાં પહોંચી જાય, એમની ઉપર ભારે ભરખમ પુસ્તકોનો બોજ નાંખી એમને ‘કુલી’ ના બનાવે, રટણ ઓછું અને વિચારવાનું વધુ શિખવે.”------આ પ્રાથમિક શિક્ષાની નીતિનો મૂળ સ્તંભ હોવો જોઇએ એવું ઘણાં ચોટીના શિક્ષાવિદ્યો પણ માને છે. પરંતુ અમલદારશાહીનું ભારતમાં રાજ છે. તેઓ કોઇનું સાંભળતા નથી; નેતાઓને ફક્ત વોટની ચિંતા છે, અને બાળકો તો વોટ આપતા નથી... આ નેતાઓ બાળકોને વિકસિત થતા નહીં પરંતુ ફક્ત વોટ માં પરિવર્તિત થતાં જોવા માંગે છે.....
-
ઇમેજમાં મોજૂદ ફેમસ ઇથોલોજીસ્ટ ‘રિચાર્ડ ડોકિન્સ’ એજ કહે છે કે......બાળકોની જીજ્ઞાસાવૃત્તિને છૂટ્ટી મૂકી દો (મતલબ એમની જીજ્ઞાસાને કોઇપણ જાતના દાયરામાં કેદ ન કરો). તેમજ તેમના પ્રશ્નોને અમર્યાદિત કરી નાંખો

No comments:

Post a Comment