જરા કલ્પના કરી જુઓ......આપણી "માં" ને માસિક સ્ત્રાવ ન થાત, તો શું આપણે
જન્મી શક્યા હોત ખરા? બેશક નહીં,,કારણકે માસિક સ્ત્રાવ પ્રજનન માટે
મૂળભૂત(પાયાની) આવશ્યકતા છે. આટલી જરૂરી કુદરતી જૈવિક પ્રક્રિયા તરફે આટલો
બધો અણગમો શા માટે?
શું આપ વરસાદમાં પલળ્યા બાદ એજ પલળેલાં કપડાં પહેરી રાખો છો? ભીંજાયા બાદ શરીરને લૂંછતા નથી? નાના છોકરાઓનાં લંગોટ ભીના થઇ ગયા પછી તુરંત શું કામ બદલી નાંખવામાં આવે છે? કારણકે બધાય જાણે છે કે ભીનાશને લીધે ઘણી મુશ્કેલીઓ તેમજ બિમારીઓ થાય છે. છતાંય આમાંથી એકેય ક્રિયાને અસહજ કે ઢાંકવા-સંતાડવાની નથી ગણવામાં આવતી. તો પછી સ્ત્રીઓના માસિક અને એની સાથે જોડાયેલ ભીનાશને વર્જીત શું કામ ગણવામાં આવે છે?
માસિક સ્ત્રાવ એક જૈવિક પ્રક્રિયા છે, બિલકુલ એવી રીતે જે રીતે પુરૂષોને વીર્ય ઉત્સર્જન થાય છે. ફરક માત્ર એટલો છે કે, માસિક દરમ્યાન સ્ત્રીઓને અસામાન્ય પીડા પણ થાય છે. કદાચ તમે જાણતાજ હશો (અને ન જાણતા હો તો જાણવુંજ જોઇએ) કે, માસિક સ્ત્રાવ દ્વારા થતા ભીનાશપણા પ્રતિ લાપરવાહીના કારણે કેટલીય મહિલાઓ સંક્રમણ(ચેપ) ની શિકાર થઇ જાય છે. તેઓ સંકોચવશ ન તો કોઇને કહી શકે છે અને ન તો તેમનું શરીર એ ચેપને સહન કરવા માટેની પરવાનગી આપે છે. એ સ્થિતિમાં પીડા તેમજ અસહજતાનો બેવડો માર સહન કરતી મહિલાઓની યાતનાનો ફક્ત અંદાજો લગાવી જુઓ....વિચારતા જ શરીરના રૂંવાટા ઊભા થઇ જાય છે. યાદ રાખો...વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર હર વર્ષ લગભગ દોઢ કરોડ મહિલાઓના મૃત્યુ યોની તેમજ એને લગતા ચેપ દ્વારા થતી બિમારીઓને કારણે થાય છે.
આટલું ઓછું હોય એમ પાછા પ્રતિબંધોની હારમાળા....અથાણાને અડવું નહીં, અશુધ્ધ છો માટે પૂજા નહીં કરો, મંદિરમા જવું નહીં, જમવાનું બનાવવું નહીં, કોઇપણ શુભ પ્રસંગમાં જવું નહીં, લોકો સાથે હળવા-મળવાનું બંધ, અલગ રહો....જાણે રજસ્વલા(માસિક) એ કોઇ છૂત-અછૂતની બિમારી હોય!!! અલબત્ત, આ પ્રકારના પ્રતિબંધો પણ સ્ત્રીઓ દ્વારા જ લગાવવામાં આવે છે. જોકે હું એ સ્ત્રીઓને દોષી નથી ગણતો જેઓને રજસ્વલા એટલે ફક્ત બગાડ એટલીજ જાણકારી હોય છે. એમને ક્યારેય એવું સમજાવવામાં નથી આવ્યું કે માસિક ધર્મ પણ એક સામાન્ય જૈવિક ક્રિયા જ છે. પુરૂષો પાછા આને મહિલાઓનો વિષય માને છે અને “આ સ્ત્રીઓની પોતાની અંગત મેટર છે” કહી સામાન્યકરણ કરી દે છે. પુરૂષો પોતાના ઘરની મહિલાઓ સાથે તમામ વિષયો ઉપર ચર્ચા કરે છે. જેવાકે... બજારમાં વોશિંગ મશીન કે એર કન્ડિશનરનું નવું મોડલ કયું આવ્યું છે, કોઇ નવી રેસિપિ ટીવી ઉપર જોઇ હોય, મેડિકલ ઇન્સ્યોરન્સ વગેરે દરેક. પરંતુ સ્ત્રીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ મુદ્દાઓ ઉપર ચર્ચા નહિવત પ્રમાણમાં થાય છે. ખરેખર તો પુરૂષોની પણ જવાબદારી છે કે તેઓ કોઇ નવી કે લાભદાયક માહિતીઓથી સ્ત્રીઓને અવગત કરાવે. કદાચ એટલા માટેજ આવા વ્યવહારને પ્રોત્સાહન આપવા હેતુથી WHO એ 28 may ના દિવસને વિશ્વ માસિક ધર્મ અને શારીરિક જાગરૂકતા દિવસ ઘોષિત કર્યો છે.
શું આપ વરસાદમાં પલળ્યા બાદ એજ પલળેલાં કપડાં પહેરી રાખો છો? ભીંજાયા બાદ શરીરને લૂંછતા નથી? નાના છોકરાઓનાં લંગોટ ભીના થઇ ગયા પછી તુરંત શું કામ બદલી નાંખવામાં આવે છે? કારણકે બધાય જાણે છે કે ભીનાશને લીધે ઘણી મુશ્કેલીઓ તેમજ બિમારીઓ થાય છે. છતાંય આમાંથી એકેય ક્રિયાને અસહજ કે ઢાંકવા-સંતાડવાની નથી ગણવામાં આવતી. તો પછી સ્ત્રીઓના માસિક અને એની સાથે જોડાયેલ ભીનાશને વર્જીત શું કામ ગણવામાં આવે છે?
માસિક સ્ત્રાવ એક જૈવિક પ્રક્રિયા છે, બિલકુલ એવી રીતે જે રીતે પુરૂષોને વીર્ય ઉત્સર્જન થાય છે. ફરક માત્ર એટલો છે કે, માસિક દરમ્યાન સ્ત્રીઓને અસામાન્ય પીડા પણ થાય છે. કદાચ તમે જાણતાજ હશો (અને ન જાણતા હો તો જાણવુંજ જોઇએ) કે, માસિક સ્ત્રાવ દ્વારા થતા ભીનાશપણા પ્રતિ લાપરવાહીના કારણે કેટલીય મહિલાઓ સંક્રમણ(ચેપ) ની શિકાર થઇ જાય છે. તેઓ સંકોચવશ ન તો કોઇને કહી શકે છે અને ન તો તેમનું શરીર એ ચેપને સહન કરવા માટેની પરવાનગી આપે છે. એ સ્થિતિમાં પીડા તેમજ અસહજતાનો બેવડો માર સહન કરતી મહિલાઓની યાતનાનો ફક્ત અંદાજો લગાવી જુઓ....વિચારતા જ શરીરના રૂંવાટા ઊભા થઇ જાય છે. યાદ રાખો...વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર હર વર્ષ લગભગ દોઢ કરોડ મહિલાઓના મૃત્યુ યોની તેમજ એને લગતા ચેપ દ્વારા થતી બિમારીઓને કારણે થાય છે.
આટલું ઓછું હોય એમ પાછા પ્રતિબંધોની હારમાળા....અથાણાને અડવું નહીં, અશુધ્ધ છો માટે પૂજા નહીં કરો, મંદિરમા જવું નહીં, જમવાનું બનાવવું નહીં, કોઇપણ શુભ પ્રસંગમાં જવું નહીં, લોકો સાથે હળવા-મળવાનું બંધ, અલગ રહો....જાણે રજસ્વલા(માસિક) એ કોઇ છૂત-અછૂતની બિમારી હોય!!! અલબત્ત, આ પ્રકારના પ્રતિબંધો પણ સ્ત્રીઓ દ્વારા જ લગાવવામાં આવે છે. જોકે હું એ સ્ત્રીઓને દોષી નથી ગણતો જેઓને રજસ્વલા એટલે ફક્ત બગાડ એટલીજ જાણકારી હોય છે. એમને ક્યારેય એવું સમજાવવામાં નથી આવ્યું કે માસિક ધર્મ પણ એક સામાન્ય જૈવિક ક્રિયા જ છે. પુરૂષો પાછા આને મહિલાઓનો વિષય માને છે અને “આ સ્ત્રીઓની પોતાની અંગત મેટર છે” કહી સામાન્યકરણ કરી દે છે. પુરૂષો પોતાના ઘરની મહિલાઓ સાથે તમામ વિષયો ઉપર ચર્ચા કરે છે. જેવાકે... બજારમાં વોશિંગ મશીન કે એર કન્ડિશનરનું નવું મોડલ કયું આવ્યું છે, કોઇ નવી રેસિપિ ટીવી ઉપર જોઇ હોય, મેડિકલ ઇન્સ્યોરન્સ વગેરે દરેક. પરંતુ સ્ત્રીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ મુદ્દાઓ ઉપર ચર્ચા નહિવત પ્રમાણમાં થાય છે. ખરેખર તો પુરૂષોની પણ જવાબદારી છે કે તેઓ કોઇ નવી કે લાભદાયક માહિતીઓથી સ્ત્રીઓને અવગત કરાવે. કદાચ એટલા માટેજ આવા વ્યવહારને પ્રોત્સાહન આપવા હેતુથી WHO એ 28 may ના દિવસને વિશ્વ માસિક ધર્મ અને શારીરિક જાગરૂકતા દિવસ ઘોષિત કર્યો છે.
No comments:
Post a Comment