નેધરલેન્ડ વિશ્વના સૌથી વધુ પૂર(રેલ)ના રિસ્કવાળા દેશોમાંથી એક છે. અડધો દેશ પૂરના પાણી વડે ડૂબી શકે તેવી સ્થિતિ છે. આ દેશ કૃષિપ્રધાન છે, અમેરિકા બાદ સૌથી વધુ કૃષિ નિર્યાત નેધરલેન્ડથી થાય છે. યુરોપના સૌથી વધુ ગીચતા(ભીડભાડ) ધરાવતા માનવીય વસાહતો વાળા દેશોમાંથી નેધરલેન્ડ એક છે. હવે જરા વિચારો અગર પૂર આવ્યું તો નેધરલેન્ડ ઠપ્પ થઇ જશે, બધુંજ નષ્ટ થઇ જશે. પરંતુ પૂર અહીં ક્યારેય આવતું જ નથી. છેલ્લે 1953માં વિકરાળ પૂર આવ્યું હતું ત્યારપછી ક્યારેય નથી આવ્યું. કારણ???????
-
“અમે પાણી સાથે લડતા નથી, અમે પાણીને પ્રેમ કરીએ છીએ અને તેને જગ્યા આપીએ છીએ.” આ વાક્ય ખુબજ કોમન ડચ વાક્ય છે. Room for Water----આજ નામ છે નેધરલેન્ડની પૂર નિયંત્રણ સ્ટ્રેટેજીનું. હવે એ સ્ટ્રેટેજીનું કામ જુઓ.....હરેક નદીના કિનારે પાક્કા ઢોળાવો બનાવવામાં આવે છે જેને ડાઇક્સ કહેવામાં આવે છે(જુઓ ઇમેજ). તે પૂરના પાણીને પર્યાપ્ત જગ્યા આપે છે. બીજું, નહેરો(કેનાલ) નું અજીબોગરીબ જાળું
. જેટલી સડકો તેટલીજ નહેરો મતલબ મનુષ્ય જેટલી જમીન વાપરશે તેટલીજ પાણી પણ વાપરશે. પાણી માટે પર્યાપ્ત રૂમ હશે, નદીના તટો થી દૂરદૂર સુધી માનવ વસ્તી ખાલી કરાવી નાંખી છે, ત્યાં લોકો નહીં રહે ફક્ત પાણી રહેશે. શહેરોમાં પણ કેનાલ દ્વારા ઠેરઠેર પાણી માટે જગ્યા કરાઇ છે.
-
હવે જરા નેધરલેન્ડની તુલના ભારત સાથે કરી જુઓ. હરવર્ષ પૂરને કારણે જાનમાલનું વ્યાપક નુકસાન થાય છે કારણ?? પાણીની જગ્યા ઉપર અતિક્રમણ. નદીના તટોને પૂરીને માનવ વસાહતો સ્થપાવા લાગી. જ્યાં જળ અને મનુષ્ય વચ્ચે યુદ્ધ થાય છે ત્યાં અકસર મનુષ્ય હારી જાય છે. આપણે નેધરલેન્ડ પાસેથી શિખવું જોઇએ.
-
ટૂંકમાં આપણે પૂર સાથે લડવાનું નથી પણ પૂરની સાથે જીવવાનું છે, જળને જગ્યા આપવાની છે. નિષ્કર્ષ:- “અગર પોતાના માટે શહેરો વસાવો છો તો જળ માટે પણ ‘Room’ બનાવો.”







No comments:
Post a Comment