આ પોષ્ટ એવા અણસમજુઓ માટે ટકોર સમાન છે...જે દિવસભર જૂઠ્ઠા તેમજ ભ્રામક
પ્રચારના સહારે હિન્દુત્વના બ્યુગલ વગાડવાની આડમાં સંસ્કૃતિની જડ ખોદી
રહ્યાં છે. આજે આપને એક કટુ સત્ય કહુ છું કે...શા કારણે આપણે ભારતીય પાછળ
છીએ તેમજ વિશ્વ સમુદાયમાં આપણી ઇજ્જત કેમ નથી? વાંચીને થોડી પચાવવાની શક્તિ
રાખજો!!!
વાસ્તવિકતા એ છે કે, આપણે ભારતીયોએ પ્રાચીન કાળમાં ક્યારેય કોઇ mechanical શોધ નથી કરી. મંત્રો, ધ્યાન વગેરેના સહારે આખા વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાના જે પ્રયત્નો કરાયા છે/ કરાઇ રહ્યાં છે; તે ફક્ત શબ્દોનો હેર-ફેર છે બીજું કંઇજ નથી. કઇ રીતે?? વાંચો આગળ......“એક વાનર એક વૃક્ષની આજુ-બાજુ નાચી રહ્યો છે અથવા તો ગોળ-ગોળ ફરી રહ્યો છે.” આ લાઇન દ્વારા હું પણ એ સાબિત કરી શકુ છું કે પૃથ્વી સૂર્યના ચક્કર મારે છે. બસ મારે ફક્ત મારી શબ્દાવલીમાં વાનરનો અર્થ પૃથ્વી અને વૃક્ષનો અર્થ સૂર્ય કરવો પડશે. કાંઇ સમજાય છે આપને? આવી વાર્તાઓ કે કથાઓ તો કોઇપણ પુસ્તકોમાં બેસુમાર હોવાની, એનાથી કાંઇ એવું ન કહી શકાય કે પૃથ્વી સૂર્યના ચક્કર મારે છે એવું આપણા પૂર્વજોએ હજારો વર્ષ અગાઉ કહ્યું હતું. આવી વાતોની જાળ તો કોઇપણ ગૂંથી શકે છે. ખરેખર તો આવું કહીને આપણે આપણાં પૂર્વજોને હાસ્યાસ્પદ બનાવીએ છીએ.
આવી વાતોનો અર્થ વિજ્ઞાન નથી. વિજ્ઞાન જ્યારે કોઇ શોધ કરે છે ત્યારે શોધના અનુસંધાનમાં તથ્યો પ્રગટ કરે છે, એની માટે નિયમ પ્રતિપાદિત કરે છે. આવા શબ્દોના ખેલના કારણે આપણે તો વિજ્ઞાનમાં કોઇ યોગદાન આપતા નથી ઉલ્ટુ કોઇ શોધ થઇ હોય તો શબ્દોના વાઘા પહેરાવી એને આપણાં ગ્રંથોમાં શોધી કાઢતાં આપણને ખુબ સરસ આવડે છે. એટલું મગજમાં ઠાંસી લ્યો કે આ પુસ્તકોના સહારે ક્યારેય કોઇ શોધ થશે નહીં. હાં શોધ થઇ ગયા બાદ એની જડ પુસ્તકોમાંથી અવશ્ય શોધી કઢાશે. આજ કારણ છે કે જગતમાં આપણે હાંસીપાત્ર બન્યાં છે. થોડા કઠોર બનો...વિજ્ઞાનની શાબાશી એટલી સસ્તી નથી. આ લેખ દ્વારા કોઇની શ્રધ્ધા ઉપર તરાપ મારવાનો પ્રયાસ નથી. તમે નાસ્તિક છો કે આસ્તિક!!! કોઇજ વાંધો નથી. પરંતુ એક ગુજારિશ છે કે, ધર્મગ્રંથોને ચાહે પુસ્તક માનો, ચાહે જ્ઞાન માનો, ચાહે ઇશ્વરીય વાણી માનો કંઇપણ માનો પરંતુ "અંતિમ સત્ય" ક્યારેય નહીં માનો.....
>>> એક ઉદાહરણ.....મહારાણા પ્રતાપ આપણી શાન તેમજ પ્રેરણાના સ્ત્રોત છે, પરંતુ કેટલાક નંગો નેટ ઉપરથી ઉલ-જુલુલ કન્ટેન્ટ ઉઠાવી રાણા પ્રતાપની તલવારને 25kg., કવચને 80kg. અને ભાલાને 72kg. ના જણાવી એવા મૂર્ખતાપૂર્ણ Claim કરે છે કે, મહારાણા પ્રતાપ 200kg. વજન લઇને લડવા જતાં હતાં. ઘણાં મિત્રોને આનો અંદાજો હશે. ઘણી જગ્યાએ તેમજ ઘણાં પુસ્તકોમાં પણ આ પ્રકારનુંજ લખાણ જોવા મળે છે. (નેટ ઉપર રાણા પ્રતાપની તલવારના વજન વિશે જરા સર્ચ કરાવી જુઓ. બધે આ પ્રકારની જ માહિતી જોવા મળશે.).....બેશક રાણા પ્રતાપ તાકતવર હતાં તેમજ તેઓ 200kg. વજન ઉઠાવી પણ શકતાં હશે, પરંતુ સૈન્ય ઉપકરણો સંબધિત જાણકારી ધરાવનાર એક સામાન્ય માણસ પણ જાણે છે કે યુધ્ધભૂમિ......કે જ્યાં સેકન્ડના દસમાં ભાગની પણ ચૂક માણસને શહીદ બનાવી દે છે.....એ યુધ્ધભૂમિમાં 2-3kg. થી વધુ ભારની તલવાર લઇ જવી એ મૂર્ખામી છે. યુધ્ધના નિયમો પણ આવું જ કહે છે.
રાણા પ્રતાપના શસ્ત્રોને લગતી હકિકત કંઇક નીચે મુજબની છે....(મહારાણા પ્રતાપ મ્યુઝિયમના એક વ્યક્તિએ આપેલ ડિટેલ્સ અનુસાર)
>>તલવાર= 1.799kg.
>>ભાલો= 2.9kg.
>>આર્મર= 16.295kg.
ખરેખર તો આવા જૂઠા પ્રચારોના કારણેજ વિશ્વ સમુદાય આપણા પ્રાચીન નાયકોનો સ્વીકાર નથી કરતો. કહેવાનો મતલબ એટલોજ કે હવે સુધરી જાઓ....જય રાજપુતાના, જય ભવાની ના નારાથી કંઇજ થવાનું નથી. મહારાણા પ્રતાપની ઓળખાણ એમના શસ્ત્રોથી નહીં પરંતુ એમની હિમ્મત તેમજ એમના હોંસલાથી છે. આવા બધા ઐતિહાસિક નાયકોના જીવન સાથે છેડછાડ બંધ કરો....નહીંતો આપણી આવનારી પેઢીઓ આવા અતિરેક વર્ણનોને કારણે આપણા ઇતિહાસથી હંમેશા માટે વિમુખ થઇ જશે.
(વિજય દ્વારા)
વાસ્તવિકતા એ છે કે, આપણે ભારતીયોએ પ્રાચીન કાળમાં ક્યારેય કોઇ mechanical શોધ નથી કરી. મંત્રો, ધ્યાન વગેરેના સહારે આખા વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાના જે પ્રયત્નો કરાયા છે/ કરાઇ રહ્યાં છે; તે ફક્ત શબ્દોનો હેર-ફેર છે બીજું કંઇજ નથી. કઇ રીતે?? વાંચો આગળ......“એક વાનર એક વૃક્ષની આજુ-બાજુ નાચી રહ્યો છે અથવા તો ગોળ-ગોળ ફરી રહ્યો છે.” આ લાઇન દ્વારા હું પણ એ સાબિત કરી શકુ છું કે પૃથ્વી સૂર્યના ચક્કર મારે છે. બસ મારે ફક્ત મારી શબ્દાવલીમાં વાનરનો અર્થ પૃથ્વી અને વૃક્ષનો અર્થ સૂર્ય કરવો પડશે. કાંઇ સમજાય છે આપને? આવી વાર્તાઓ કે કથાઓ તો કોઇપણ પુસ્તકોમાં બેસુમાર હોવાની, એનાથી કાંઇ એવું ન કહી શકાય કે પૃથ્વી સૂર્યના ચક્કર મારે છે એવું આપણા પૂર્વજોએ હજારો વર્ષ અગાઉ કહ્યું હતું. આવી વાતોની જાળ તો કોઇપણ ગૂંથી શકે છે. ખરેખર તો આવું કહીને આપણે આપણાં પૂર્વજોને હાસ્યાસ્પદ બનાવીએ છીએ.
આવી વાતોનો અર્થ વિજ્ઞાન નથી. વિજ્ઞાન જ્યારે કોઇ શોધ કરે છે ત્યારે શોધના અનુસંધાનમાં તથ્યો પ્રગટ કરે છે, એની માટે નિયમ પ્રતિપાદિત કરે છે. આવા શબ્દોના ખેલના કારણે આપણે તો વિજ્ઞાનમાં કોઇ યોગદાન આપતા નથી ઉલ્ટુ કોઇ શોધ થઇ હોય તો શબ્દોના વાઘા પહેરાવી એને આપણાં ગ્રંથોમાં શોધી કાઢતાં આપણને ખુબ સરસ આવડે છે. એટલું મગજમાં ઠાંસી લ્યો કે આ પુસ્તકોના સહારે ક્યારેય કોઇ શોધ થશે નહીં. હાં શોધ થઇ ગયા બાદ એની જડ પુસ્તકોમાંથી અવશ્ય શોધી કઢાશે. આજ કારણ છે કે જગતમાં આપણે હાંસીપાત્ર બન્યાં છે. થોડા કઠોર બનો...વિજ્ઞાનની શાબાશી એટલી સસ્તી નથી. આ લેખ દ્વારા કોઇની શ્રધ્ધા ઉપર તરાપ મારવાનો પ્રયાસ નથી. તમે નાસ્તિક છો કે આસ્તિક!!! કોઇજ વાંધો નથી. પરંતુ એક ગુજારિશ છે કે, ધર્મગ્રંથોને ચાહે પુસ્તક માનો, ચાહે જ્ઞાન માનો, ચાહે ઇશ્વરીય વાણી માનો કંઇપણ માનો પરંતુ "અંતિમ સત્ય" ક્યારેય નહીં માનો.....
>>> એક ઉદાહરણ.....મહારાણા પ્રતાપ આપણી શાન તેમજ પ્રેરણાના સ્ત્રોત છે, પરંતુ કેટલાક નંગો નેટ ઉપરથી ઉલ-જુલુલ કન્ટેન્ટ ઉઠાવી રાણા પ્રતાપની તલવારને 25kg., કવચને 80kg. અને ભાલાને 72kg. ના જણાવી એવા મૂર્ખતાપૂર્ણ Claim કરે છે કે, મહારાણા પ્રતાપ 200kg. વજન લઇને લડવા જતાં હતાં. ઘણાં મિત્રોને આનો અંદાજો હશે. ઘણી જગ્યાએ તેમજ ઘણાં પુસ્તકોમાં પણ આ પ્રકારનુંજ લખાણ જોવા મળે છે. (નેટ ઉપર રાણા પ્રતાપની તલવારના વજન વિશે જરા સર્ચ કરાવી જુઓ. બધે આ પ્રકારની જ માહિતી જોવા મળશે.).....બેશક રાણા પ્રતાપ તાકતવર હતાં તેમજ તેઓ 200kg. વજન ઉઠાવી પણ શકતાં હશે, પરંતુ સૈન્ય ઉપકરણો સંબધિત જાણકારી ધરાવનાર એક સામાન્ય માણસ પણ જાણે છે કે યુધ્ધભૂમિ......કે જ્યાં સેકન્ડના દસમાં ભાગની પણ ચૂક માણસને શહીદ બનાવી દે છે.....એ યુધ્ધભૂમિમાં 2-3kg. થી વધુ ભારની તલવાર લઇ જવી એ મૂર્ખામી છે. યુધ્ધના નિયમો પણ આવું જ કહે છે.
રાણા પ્રતાપના શસ્ત્રોને લગતી હકિકત કંઇક નીચે મુજબની છે....(મહારાણા પ્રતાપ મ્યુઝિયમના એક વ્યક્તિએ આપેલ ડિટેલ્સ અનુસાર)
>>તલવાર= 1.799kg.
>>ભાલો= 2.9kg.
>>આર્મર= 16.295kg.
ખરેખર તો આવા જૂઠા પ્રચારોના કારણેજ વિશ્વ સમુદાય આપણા પ્રાચીન નાયકોનો સ્વીકાર નથી કરતો. કહેવાનો મતલબ એટલોજ કે હવે સુધરી જાઓ....જય રાજપુતાના, જય ભવાની ના નારાથી કંઇજ થવાનું નથી. મહારાણા પ્રતાપની ઓળખાણ એમના શસ્ત્રોથી નહીં પરંતુ એમની હિમ્મત તેમજ એમના હોંસલાથી છે. આવા બધા ઐતિહાસિક નાયકોના જીવન સાથે છેડછાડ બંધ કરો....નહીંતો આપણી આવનારી પેઢીઓ આવા અતિરેક વર્ણનોને કારણે આપણા ઇતિહાસથી હંમેશા માટે વિમુખ થઇ જશે.
(વિજય દ્વારા)
No comments:
Post a Comment