બેશક આંતકવાદનો સબંધ કોઇ ધર્મ સાથે નથી પરંતુ.......જો તમે એમ માનતા હો કે તમારો જ ધર્મ દુનિયાનો સૌથી બહેતરીન ધર્મ છે તો આપ આજ ગફલત દ્વારા આપના બાળકોના મગજમાં એવું ઠાંસી રહ્યાં છો કે તમારા સંપ્રદાય સિવાયના બીજા બધા સંપ્રદાયો બેકાર અને ખોટા છે. અહીંથી જ બીજાઓ પ્રત્યે નફરત, ગુસ્સો તેમજ કટ્ટરતા ઉદભવે છે. આજ નફરતો દ્વારા આંતકવાદીઓ પેદા થાય છે. આપણે જે દિવસે એ હકિકત કબૂલી લઇશું કે આપણું હિન્દુ હોવું કે મુસલમાન હોવું એ ફક્ત એક સંજોગ છે....આપણો જન્મ બીજા સંપ્રદાયમાં પણ થઇ શક્યો હોત....એ દિવસથી આપણે ધર્મોના દિવાના બનતા અટકી જઇશું તેમજ ખુદ ને નફરતના નારા લગાવવા વાળા ટોળાનો હિસ્સો બનતા અટકાવી દઇશું.
યાદ રાખો:- તમારો ધર્મ/સંપ્રદાય દુનિયાનો સૌથી ઉત્તમ ધર્મ/સંપ્રદાય નથી.. (આ બધાયને લાગુ પડે છે)
સાર:- હર “એ” માણસ જે પોતાના ધર્મની વિરૂધ્ધ એક શબ્દ પણ સાંભળી શકતો નથી......એક સંભવિત આંતકી હોય છે.
No comments:
Post a Comment