Saturday, February 29, 2020

પ્રશ્ન

જીવવૈજ્ઞાનિક “જે. બી. એસ. હાલ્ડેન(J. B. S. Haldane)” ના અનુસાર ભારતીયોના અધિક શિષ્ટ હોવાના કારણે ભારતમાં વિજ્ઞાનના વિકાસનો દર ઓછો છે......
-
યાદરહે આ એમનો પોતાનો અનુભવ હતો જે એમણે લાંબો સમય ભારતમાં રહી પ્રાપ્ત કર્યો હતો અને હું એમના આ અનુભવ સાથે સહમત છું. કારણકે અધિક શિષ્ટાચાર પ્રશ્ન પુછવાના અવસરને કચડી નાંખે છે. પ્રશ્ન ન ઉઠવાની સ્થિતિને મૂક સહમતિ માની લેવામાં આવે છે જેને પરિણામે સારા અને પ્રભાવી કાર્યો પણ સમય જતા પરંપરા બની જાય છે અને અંધવિશ્વાસ રૂપે સમાજમાં મૂળીયા નાંખી જાય છે.
-
જરા મને જણાવો એક શિક્ષકને કયો વિદ્યાર્થી ગમશે? એ જે સવાલો પુછી-પુછીને એમને માથું ખંજવાળવા મજબૂર કરશે કે એ જે શિષ્ટમાં રહી હાં મા હાં ભરી સહમતિ દર્શાવશે???? આપણા ભારતીયોની અડધીથી ય વધુ જીજ્ઞાસા તો આપણી શિષ્ટતા જ ખાય જાય છે. બેવકૂફ દેખાવાના ભયે કેટલાય પ્રશ્નો દમ ઘૂંટીને મરી જાય છે.

ફોટોલાઇન:- “બેશક હું એ સવાલોનો પક્ષ લઈશ જેના જવાબ નથી આપી શકાતા, સિવાય કે એ જવાબોનો જેની સામે સવાલ નથી કરી શકાતા. ---------રિચર્ડ ફાઇનમેન”

No comments:

Post a Comment