----------સમલૈંગિકતા (Homo-Sexuality) એક અપરાધ????------------
એક અનુરોધ છે આપને કે લેખ વાંચો તો પૂરેપૂરો વાંચજો. બની શકે... સમલૈંગિક જીવન અંગેની આપની વિચારધારામાં પરિવર્તન પણ આવી શકે....
-
ભવિષ્યમાં જ્યારે પણ ઇતિહાસ લખાશે ત્યારે ન્યૂટન, આઇનસ્ટાઇન, ડાર્વિન જેવા મહાન લોકો સાથે એક નામ અવશ્ય લખાશે.......“એલન ટ્યુરિંગ(Alan Turing)”......23 જૂન 1912, લંડનમાં જન્મેલ આ મહાન કમ્યુટર વૈજ્ઞાનિકે માનવજાતને સૂચના તેમજ પેટર્નનું મહત્વ શિખવ્યું. જેમની શોધોના આધારે દ્વિતિય વિશ્વયુધ્ધમાં માનવતાનો સંહાર કરવાની ખેવના રાખનાર હિટલર ઉપર મિત્ર દેશોએ જીત હાસિલ કરી. અગર વર્તમાનમાં આપની પાસે કમ્યુટર, મોબાઇલ જેવા ડિવાઇસ છે તો એમના માટે પણ એલન ટ્યુરિંગનો આભાર માનવો જોઇએ. કેમકે આધુનિક કમ્યુટિંગના કોડિંગ પણ કમ્યુટર વિજ્ઞાનના પિતામહ એલન ટ્યુરિંગની જ દેન છે.
-
પરંતુ.........માત્ર 41 વર્ષની ઉમરમાં 7 જૂન 1954 ના રોજ આ મહાન વૈજ્ઞાનિકે સાઇનાઇડથી ભરેલું એક સફરજન આરોગીને પોતાની જીવનલીલા સમાપ્ત કરી નાંખી. કારણકે.....તેઓ એક સમલૈંગિક હતાં.......એમની ઉપર એ સમયે અદાલતમાં કેસ ચાલ્યો તથા તેમને દોષી માનીને, તેઓને સ્ત્રી હારમોન્સના ઇન્જેક્શનો આપવામાં આવ્યાં. જેના કારણે એમના વક્ષ સ્ત્રીઓ સમાન વિકસિત થઇ ગયાં. આવા અપમાન, આત્મગ્લાનિ તેમજ તિરસ્કારથી દુઃખી થઇ એ મહાન વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી.
-
ખરેખર તો એ અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે કે આ મહાન વૈજ્ઞાનિકની કસમયી મોત થી માનવજાતે શું ગુમાવ્યું છે, કારણકે એમની ઉંમર 41 વર્ષની જ હતી. અગર તેઓ હજી થોડા વર્ષ વધુ જીવ્યા હોત તો માનવજીવનને ઉપયોગી કેટલીયે શોધો એમણે કરી નાંખી હોત....પરંતુ અફસોસ!!!........પોતાની અંગત જીન્દગીમાં પણ તેઓ એક શાનદાર ઇન્સાન હતાં. જેમણે ક્યારેય કોઇનું પણ બુરૂ ઇચ્છયું ન હતું. એમનો અપરાધ ફક્ત સમલૈંગિક હોવાનો હતો.
>>> તો શું સમલૈંગિકતા ખરેખર પાપ છે????
-
આવો આજે આપણે ધર્મ, પ્રકૃતિ, સમાજ તેમજ નૈતિકતાના નામે બીજાઓની જીન્દગીના અધિકારો છીનવી લેવાવાળાઓને સખત શબ્દોમાં વખોડીએ.

આપણે અહીંયા વ્યક્તિગત “ભાવનાત્મક યૌન સબંધો” ની વાત કરી રહ્યાં છીએ ના કે કુંઠિત સમલૈંગિક અપરાધોની. કોઇ જબરદસ્તી અન્ય સાથે સમલૈંગિક સંબંધ બનાવે તો અવશ્ય તેને દંડિત કરવાં જોઇએ. પરંતુ આપણે વાત કરીશું એ સમલૈંગિક સંબંધોની જેઓ પોતાની દુનિયામાં મસ્ત રહે છે, કોઇને પણ હાનિ પહોંચાડયા વિના.
-
સમલૈંગિકતાનો વિરોધ જનરલી એ આધાર ઉપર કરાય છે કે....આ ધર્મ, પ્રકૃતિ, સમાજ તેમજ નૈતિકતાની વિરૂધ્ધ છે...તો સૌથી પહેલાં સમાજ તેમજ નૈતિકતાની વાત....
-
>>>નૈતિકતાના આધારે કોઇને ખારિજ કરી દેવો ખરેખર દુરાગ્રહ જ માનવો પડે. નૈતિકતાની....સ્વતંત્રતાની સીમા જ વ્યક્તિગત હોય છે. જે આપને માટે બરાબર હોય જરૂરી નથી બધા માટે એ બરાબર જ હોય. બુરખો પહેરવો એ આરબ દેશોમાં નૈતિકતાનો આધાર છે. તો શું આપ કાલથી આપની પત્નીને બુરખો પહેરાવાનું શરૂ કરી દેશો? સિંદુર પુરવું એ ભારતીય નૈતિકતા છે. તો શું હરએક ઇસ્લામિક દેશોએ પોતાની પત્ની માટે સિંદુર તેમજ મંગલસુત્ર પહેરવા માટે ફતવો બહાર પાડવો જોઇએ? આપણાં બનાવેલા નિયમો આપણાં સમાજ ઉપર જ થોપવા જોઇએ (ખરેખર તો થોપવા જોઇએ જ નહીં). એ નિયમોને પૂરા વિશ્વ ઉપર ઠોકી બેસાડવાની ખેવના રાખવાવાળાની તુલના જેહાદિયો સાથે કરવામાં શું ખોટું છે?
-
અને સમાજ શું છે? એના નિયમો કોણ બનાવે છે? અગર સમાન લિંગમાં આકર્ષણ પાપ છે તો શું વિપરીત લિંગમાં આકર્ષણ વ્યક્ત કરવાની સુવિધા આપણો સમાજ આપે છે? માસૂમ દિકરીઓને છોકરાની લાલચમાં પેટમાં જ દફન કરવાવાળો સમાજ શું એ વાતનો જવાબ આપવાનું પસંદ કરશે કે....1000 પુરૂષો સામે 940 મહિલાઓવાળા આ દેશમાં લગ્ન માટે છોકરીઓ શોધી રહેલાં લાખો મર્દોનું ભલું શું કોઇ કલિયુગી દ્રૌપદી કરશે?
-
સમલૈંગિકતાના લક્ષણો પ્રાપ્ત અગર કોઇ સ્ત્રી કે પુરૂષ આપસી સહમતીના આધારે ભાવનાત્મક સબંધ બનાવી લે છે તો આપણાં પેટમાં દર્દ શું કામ થાય છે? શું કહ્યું? સંતાન પેદા નહીં થાશે? સૃષ્ટિ આગળ નહીં વધે? અરે ભલા માણસો...શું તમે ડાયનાસોર પ્રજાતિના એ છેલ્લાં ઇંડા છો કે તમને વંશવૃધ્ધિની ચિંતા સતાવી રહી છે? (હા બધાય સમલૈંગિક થઇ જાય તો મેટર ચિંતાજનક છે.) ઓલરેડી વસ્તી 8 અબજ થઇ ગઇ છે...3 અબજ પાસે ખાવા માટે રોટી નથી...પીવા માટે પાણી નથી...એમને તો પહેલાં સંભાળી લ્યો, વાત કરો છો છોકરાઓ પેદા કરવાની.... સંતાન પ્રાપ્ત કર્યા વિના આપસમાં ખુશ એવા જોડાં સમાજનું ભલું કરે છે કે હાનિ પહોંચાડે છે? માની લીધું કે ખાવા માટે કુદરતે મોઢું આપ્યું છે, પરંતુ વિશેષ પરિસ્થિતિમાં નાકમાં નળીના સહારે ખાવાનુ ખાવાવાળા પાસેથી શું જીવનનો અધિકાર છીનવી લેવો જોઇએ?
>>>સમલૈંગિકતાને કેવી રીતે ધર્મની વિરૂધ્ધ માનો છો? કોઇપણ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મને સમલૈંગિકતાની વિરૂધ્ધ એક લાઇન પણ લખેલી બતાવો...પોતે બનાવેલા રિવાજોને ધર્મના વાઘા પહેરાવીને ક્યાં સુધી લોકોને બેવકુફ બનાવ્યે રાખશો?
>>>તો હવે અંતિમ પડાવ બચ્યો છે કે, સમલૈંગિકતા પ્રકૃતિની તેમજ ઇશ્વરીય નિયમોની વિરૂધ્ધ છે...વાહ રે માનવી, સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલી લાખો આકાશગંગાઓ માં મોજૂદ કરોડો ગ્રહોમાં એક નાનો ગ્રહ.....પૃથ્વી ઉપર બેઠો-બેઠો ઇશ્વરીય નિયમોને જાણવાનો દાવો કરે છે. અગર શારીરિક બદલાવ અને હાર્મોન્સ અસંતુલનના કારણે કોઇ વ્યક્તિ સમલૈંગિકતા તરફ આકર્ષિત થાય છે, તો એમાં ભૂલ એ વ્યક્તિની છે કે કુદરત એટલે કે ઇશ્વરની?
-
બની શકે આપણા માટે બધાં નિર્ણયો સાચા નથી હોતા....પરંતુ સુધારો....બદલાવ...તેમજ એકબીજા માટે લડવું અને સાથે ઊભા રેહવું એજ માનવતા છે અને આપણું સંવિધાન પણ એજ કહે છે કે, ધાર્મિક આધારોથી ઉપરવટ જઇને વૈજ્ઞાનિક આધાર ઉપર હર વ્યક્તિને જીવવાનો અધિકાર પ્રાપ્ત થવો જ જોઇએ. અગર એવું ના હોત તો....2009માં બ્રિટનના પ્રધાનમંત્રી ગાર્ડન બ્રાઉને સાર્વજનિક રૂપે એલન ટ્યુરિંગ ઉપર ચાલેલ કેસ માટે બ્રિટનની જનતા તરફથી માફી માંગવી પડી ના હોત...તથા વિકાસશીલ દેશો સમલૈંગિકતાને સામાન્ય વ્યવહાર ઘોષિત કરી માન્યતા આપતા ના હોત....તથા પ્રસિધ્ધ કંપની એપ્પલનો લોગો(અર્ધ ખાધેલ સફરજન) એ મહાન સમલૈંગિક એલન ટ્યુરિંગને શ્રધ્ધાંજલી ના હોત....
-
ક્યાં સુધી આપણે, આપણી બનાવેલ પરંપરાઓ તેમજ માન્યતાઓને ઇશ્વરીય નિયમની સંજ્ઞા આપી લોકોથી એમની જીન્દગીઓ છીનવતા રહીશું...બેશક પરંપરાઓ તેમજ માન્યતાઓમાં વિશ્વાસ રાખવું ઉચિત છે, પરંતુ જેવી રીતે એક પથ્થરના અનાવશ્યક ભાગોને હટાવી એક મૂર્તિકાર એમાંથી શિલ્પ શોધે છે, એજ પ્રકારે.....હર પરંપરા ધર્મ નથી હોતી...પરંપરાઓમાં પણ ધર્મ ને શોધવો પડે છે.....
ખુદ વિચાર કરજો....
(
વિજય દ્વારા)