Wednesday, January 22, 2025

Numerology(અંકશાસ્ત્ર)

 



 

અંકશાસ્ત્ર એક સ્યુડોસાયન્સ છે જે દાવો કરે છે કે વ્યક્તિનું વ્યક્તિત્વ, ભવિષ્ય અને જીવનની ઘટનાઓ સંખ્યાઓ દ્વારા સમજી શકાય છે. અંકશાસ્ત્રમાં નામો, જન્મ તારીખો અને અન્ય સંખ્યાઓના આધારે ભવિષ્યવાણીઓ કરાય છે પરંતુ તે માત્ર સામાન્ય ધારણાઓ અને સંયોગો પર આધારિત છે જે વૈજ્ઞાનિક પરીક્ષણો દ્વારા પ્રમાણિત નથી. અંકશાસ્ત્રને મગજના કેટલાક પૂર્વગ્રહો પરથી સમજી શકાય છે.

-

(1) Barnum effect :- જેમાં લોકો વ્યક્તિના વ્યક્તિત્વ વિશેની સામાન્ય બાબતોને ભવિષ્યવાણી માની લે છે. જેમ કે તમે દરેકનું ભલું ઇચ્છો છો/ દરેક માટે કાર્ય કરો છો પણ તમને તેનો યશ મળતો નથી. (2) Texas sharpshooter fallacy :- જેમાં લોકો તેમના માટે અનુકૂળ વસ્તુઓને ધ્યાનમાં રાખે છે અને અન્યની અવગણના કરે છે. જેમકે.....તમે ક્યારેય કોઈ જ્યોતિષીય આગાહી ખોટી નીકળે તો તેની સામે કોઇને કેસ નોંધાવતા સાંભળ્યું છે? કેમકે લોકો અંદરથી જાણે છે કે જ્યોતિષ શાસ્ત્ર કામ કરતું નથી છતાં તેને વળગી રહે છે. (3) Frequency illusion :- જેમાં લોકો એક નંબરને વારંવાર જોવાનો દાવો કરે છે અને માને છે કે તેનો કોઇ વિશેષ અર્થ છે. જેમ કે મોબાઇલ, કાર અથવા ઘરના નંબરમાં કોઇ કોમન નંબર જોવો. (4) Pattern seeking :- જેમાં લોકો અસ્તવ્યસ્ત વસ્તુઓમાં પેટર્ન શોધે છે, જેમ કે અસ્પષ્ટ ફોટામાં, વાદળોમાં, દિવાલના પ્લાસ્ટરમાં વગેરે.

-

અંકશાસ્ત્રની લોકપ્રિયતાનું કારણ છે કે લોકો તેને તેમના જીવન પર નિયંત્રણ મેળવવાનું એક સાધન માને છે. લોકોને લાગે છે કે કોઇ વિશેષ નંબરને અપનાવવાથી અથવા ત્યાગવાથી ઇચ્છિત પરિણામો મળશે. અંકશાસ્ત્રને મનોરંજન તરીકે લઈ શકાય પરંતુ તેને વાસ્તવિકતા સાથે જોડવું ખોટું છે. આમાં લોકોના ડર, લોભ અને માનસિક પૂર્વગ્રહોનો લાભ લેવામાં આવે છે. તમને એવા ઘણા લોકો મળશે જેઓ અંકશાસ્ત્ર અથવા જ્યોતિષ શાસ્ત્રનું મફત કન્સલ્ટેશન આપે છે પરંતુ વાસ્તવમાં તેઓ મફત નથી આપતા હોતાં. ઘણા લોકો તેમની સટીકતા માપવા માટે તમારા પર પ્રેક્ટિસ કરે છે, ઘણા લોકો પ્રસિદ્ધિ મેળવવા માટે તો ઘણા અન્ય વ્યવસાયમાં નફા માટે આવું કરે છે.

 


 

No comments:

Post a Comment