મિત્રો!!! કોમા વિષે તમે સાંભળ્યુંજ હશે, કોઇકના મોઢે, ફિલ્મોમાં, ટીવી સિરયલોમાં, ડ્રામાઓમાં, પરંતુ જરા ટીવી અથવા ફિલ્મોથી બહાર નીકળી જોવા જઇએ તો શું તમને ખબર છે કે કોમા શું હોય છે?? કોમા શબ્દ એક યુનાની શબ્દની દેન છે. જેનો મતલબ થાય છે...'State of Sleep'. જ્યારે કોઇ વ્યક્તિને મગજમાં ઇજા પહોંચે અથવા રક્તપ્રવાહ ઓછો થઇ જાય અથવા તો રોકાઇ જાય ત્યારે જે તે વ્યક્તિને હોશ નથી રહેતો અને તે શારીરિક રીતે હલનચલન નથી કરી શકતો. આને આપણે કોમા કહીએ છીએ. જ્યારે વ્યક્તિ કોમામાં હોય છે ત્યારે તે જીવિત હોય છે. કોમાના દર્દીનું મગજ સક્રીય હોય છે પરંતુ ફક્ત base level સુધી. જે રીતે આપણાં સર્વે સાથે ઉંઘ દરમિયાન થતું હોય.
-
કોમા મગજનો રક્તપ્રવાહ રોકાવાથી થઇ શકે છે અને તેના ઘણાં કારણો છે. જેમકે...મગજને ઝાટકો લાગે, રક્તવાહિનીઓનું ફાટી જવું અથવા કોઇ નસ બ્લોક થવી વગેરે. આમાથી કોઇપણ કારણ કોમા માટે કારણભૂત બની શકે છે. ડાયાબિટીસ એટલેકે સુગરના દર્દીઓ કોમાંના risk ઉપર હોય છે. ઘણાં કોમા મેડિકલી પણ દર્દીને આપવામાં આવે છે. જેને Medically Induced Coma કહે છે. કોમા હકિકતે બાયોલોજીકલ હોય છે પરંતુ Medically Induced Coma લાંબા સમયના એનેસ્થેસિયા જ હોય છે. ડોક્ટરો કેટલાંક દર્દીને Medically Induced Coma માં રાખે છે. જેથી તેમનું શરીર એવી કોઇ પ્રતિક્રિયા ન દર્શાવે જેથી ખતરો વધી જાય. તો આ પોષ્ટમાં કોમાનું હાર્દ આપણે કુદરતી કોમા પુરતુ જ રાખીશું.
-
હર કોમા એકબીજાથી અલગ હોય છે. જે એ બાબત ઉપર નિર્ભર કરે છે કે મગજનો કયો ભાગ અસરગ્રસ્ત છે. કેટલાંક કોમાના દર્દીઓ થોડાઘણાં ઇશારાઓ કરી શકે છે જ્યારે કેટલાંક તો શ્વાસ સુધ્ધા નથી લઇ શકતાં. Glassgow Coma Scale કોમાની તીવ્રતાને માપવા માટેનું ધારાધોરણ છે. જે કોઇપણ કોમા કેસને 3 થી લઇને 15 સુધીનો ક્રમ એનાયત કરે છે. જેમાં 3 નો મતલબ છે એકદમ સીરિયસ કોમા અને 15 નો મતલબ છે દર્દી થોડીઘણી પ્રતિક્રિયા દાખવી રહ્યો છે. કોમાના દર્દીને ડોક્ટરો વેન્ટિલેટર ઉપર રાખી અને ખોરાક અર્થે highly nutritious આપે છે. સરેરાશ કોમા બે થી ચાર અઠવાડિયાના હોય છે પરંતુ આ સમયગાળો જેટલો લાંબો ચાલે તેટલીજ દર્દીની ફરી જાગવાની તકો ઓછી થતી જાય છે.
-
કોમાના દર્દીમાં brain activity થતી હોય છે અને ફિલ્મોમાં બતાવ્યા અનુસાર દર્દીને આસપાસની સઘળી ખબર હોય છે. પણ....આપણે આને કન્ફર્મ નથી કરી શકતાં. કેમ? કેમકે આપણે દર્દી સાથે વાત નથી કરી શકતાં. અગર આપણે કંઇક કરી શકીએ તો તે છે....Brain Scan!! જેને ખુબજ બહોળા સ્તરે અનેક દર્દીઓ ઉપર કરવું પડે. જે ઘણું અઘરૂ કાર્ય છે. ઉદાહરણ તરીકે....2006 માં ઇઝરાયલના વડાપ્રધાન Ariel Sharon ને મગજનો હુમલો થવાથી તેઓ કોમામાં જતા રહ્યાં. એ સમયે તેમના દિકરાને તેમની સાથે વાતચીત કરવા કહ્યું અને તે ક્ષણના તેમના functional MRI લેવામાં આવ્યાં. જેથી તેમના મગજની ગતિવિધિનું નિરિક્ષણ થઇ શકે. સ્કેનના રિપોર્ટ મુજબ તેમના મગજમાં Robust activity થતી હતી. પરંતુ આનુ કોઇ ખાસ મહત્વ નથી કેમ? કેમકે MRI મગજની ગતિવિધિને એટલી ખાસ રીતે દર્શાવી નથી શકતી. તે ફક્ત એટલુંજ દર્શાવે છે કે લોહી મગજમાં કઇકઇ જગ્યાએ વહી રહ્યું છે.
-
કોમાનો ઇલાજ હાલ શક્ય નથી. હજીસુધી એવી કોઇ ટેકનીક નથી કે કોમાના દર્દીને જાગ્રત કરી શકે.

