Friday, November 26, 2021

ચાલતી વખતે આપણાં હાથ શા માટે હલે છે?

 

 


ઘણાં વર્ષો સુધી વૈજ્ઞાનિકો એવું સમજતા રહ્યાં કે ચાલતી વખતે હાથોનું હલન-ચલન એક નકામું કાર્ય છે. કેમકે હાથને હલાવીને આપણે ક્યાંય પહોંચતા નથી/આગળ વધતા નથી(જેમ પગને હલાવીને પહોંચીએ છીએ), ફક્ત એનર્જી વેસ્ટ કરીએ છીએ. પરંતુ!!! 2009 માં university of michigan ના કેટલાંક વૈજ્ઞાનિકોએ જાણવાની કોશિશ કરી કે હાથોના હલન-ચલનથી શરીર ઉપર શું પ્રભાવ પડે છે?

-

માટે તેમણે કેટલાંક લોકોને ત્રણ પ્રકારે ચાલવા માટે કહ્યું. (1) સામાન્યપણે હાથ હલાવીને ચાલવું (2) વગર હાથ હલાવ્યે ચાલવું (3) synchronize movement અર્થાત જમણો પગ જ્યારે આગળ આવે ત્યારે જમણાં હાથને આગળ કરવો અને ડાબો પગ જ્યારે આગળ આવે ત્યારે ડાબા હાથને(ટૂંકમાં આપણાં નોર્મલ હલન-ચલન વિરૂધ્ધ) (જુઓ નીચેની ઇમેજ). ત્રણેય પ્રક્રિયાઓ દરમિયાન તેઓના શરીરે ખર્ચેલ ઉર્જાનું અધ્યયન કરવામાં આવ્યું. ટેસ્ટનું રિઝલ્ટ ચોંકાવનારૂં આવ્યું.



-

વગર હાથ હલાવ્યે ચાલવાથી શરીર(નોર્મલ હલન-ચલનની તુલનાએ) 12% જેટલી ઉર્જા વધુ વાપરતું હતું અને synchronize movement વખતે તો ઘણી વધુ લગભગ 26% જેટલી વધુ ઉર્જા વાપરતું હતું. તમને આશ્ચર્ય જરૂર થતું હશે કે આખરે આવું કેમ? તો તેની પાછળનું કારણ છે.....જ્યારે આપણે પગલું ભરીએ છીએ ત્યારે આપણું શરીર કમરના ભાગેથી ફરે છે/વળે છે. જેને counter balance(પ્રતિસંતુલિત) કરવા માટે આપણી વિરૂધ્ધ બાજુનો હાથ આગળ વધે છે. જેથી આપણે સીધા ચાલી શકીએ છીએ. જ્યારે હાથોને રોકવામાં આવે અથવા ખોટો હાથ આગળ કરવામાં આવે ત્યારે શરીરને સીધા ચાલવામાં વધુ મહેનત કરવી પડે છે. પરિણામે શરીર વધુ ઉર્જા ખર્ચ કરે છે. જે સ્વાભાવિકપણે survival ની દ્રષ્ટિએ યોગ્ય નથી.

-

છતાં ઘણાં વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે આપણાં હાથોનું હલન-ચલન અસલમાં ચાર પગ ઉપર ચાલવાવાળા આપણાં પૂર્વજોનો એક ગુણ છે, કે જે હજીસુધી વિલુપ્ત થવાનો બાકી છે. હકિકત જે હોય તે પરંતુ ફિલહાલ આપણી પાસે બે ખુલાસાઓ મૌજૂદ છે.

No comments:

Post a Comment